રાજકોટ થોરાળા પોલીસે ગોંડલ રોડ હાઇવે નજીક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધું છે. હાઇવે ઓથોરિટી, પીજીવીસીએલ સહીતની ટીમોને સાથે રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગઈકાલે સાંજે થોરાળા પોલીસ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા અમદાવાદ-ગોંડલ હાઇવે પર અસામાજિક તત્વો દ્વારા 20 થી વધુ કાચા-પાકા મકાનો ગેરકાયદે ખડકી દેવામાં આવ્યા હતા. જેમાંથી સાત અસામાજિક તત્વો વિરુદ્ધ પ્રોહીબિશન, શરીર સંબંધિત ગુના, મિલ્કત સંબંધીત ગુના નોંધાયેલા છે. ડિમોલીશન દરમિયાન અનિચ્છનીય બનાવને રોકવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા આવ્યો હતો. જયારે હાઇવે ઓથોરિટી, પીજીવીસીએલ સહીતની ટીમો પણ હાજર રહી હતી. મહત્વનુ છે કે આ દબાણો દૂર કરવા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પણ નોટિસ આપવામાં આવી હતી.