ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી દ્વારા ગોંડલી નદી પર એક સદી પહેલા બે પુલનું નિર્માણ કરી આપવામાં આવ્યું હોય જે છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરીત થઈ રહ્યા હોય સુરક્ષા હેતુથી યતિશભાઈ દેસાઈ દ્વારા હાઇકોર્ટમાં અરજ કરાતા કોર્ટે બંને પુલ ઉપર ભારે વાહનોનાં આવનજાવન પર પ્રતિબંધિ મૂકવાનો હુકમ કર્યોહતો ત્યારે શહેરમાં પ્રવેશતા બંને પૂલો ભારે વાહન માટે બંધ થતા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સુરેશ્ર્વર માર્ગ પરનો પૂલનો ઉપયોગ કરવાનું નગરપાલિકા તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું આ સાથે જ સુરેશ્ર્વર માર્ગ પરના પૂલની હાલત પણ ખખડધજ હોવાની વિગતોસામે આવી હતી.