રાજકોટના ગોકુલધામ આવાસ યોજનાના એક બંધ ફ્લેટમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર લતાબેન ચૌહાણનું મકાન બે મહિનાથી બંધ હતું. આ બંધ મકાનનો લાભ ઉઠાવીને કોઈ અજાણ્યા શખ્સોએ તેમના મકાનનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અને ત્યાર બાદ અંદર વિદેશી દારૂનો જથ્થો રાખી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ મકાન માલિકનું જૂનું તાળું તોડી નાખ્યા બાદ નવું તાળું પણ લગાવી દીધું હતું. જ્યારે મકાન માલિક પોતાના ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમના મકાનનું તાળું બદલાયેલું હતું. તેમને શંકા જતાં તપાસ કરતાં અંદર દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી..