ગુજરાતભરમાં નશીલી આયુર્વેદિક સીરપનો કાળો કારોબાર વધતો જાય છે ત્યારે પોલીસ સક્રિય થઇ છે અને નસીલી સીરપના જથ્થાને કબજે કરીને એફ એસ એલ માં મોકલી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોડીયાર ચેમ્બરમાં આવેલ દુકાનમાંથી નશીલી આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના બેલા ગામની સીમમાં ખોડીયાર ચેમ્બરમાં આવેલ દુકાનમાંથી નશીલી આયુર્વેદિક સીરપનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે તપાસ કરતા બોટલ નંગ ૧૭૧૦ કીમત રૂ.૨,૫૫,૧૫૦ નો મુદામાલ કબજે કરી દુકાનદાર કમલભાઈ રજીતભાઈ દેબનાથ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે