સોમનાથ મહાદેવને ભીમ અગિયારસ એટલે કે જેઠ શુક્લ એકાદશી ના પવિત્ર અવસર પર 2500 કિલોથી વધુ કેસર કેરીનો શૃંગાર કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રના સંકલન સાથે વેરાવળ તાલુકાની 324 આંગણવાડીના 10,000 થી વધુ બાળકો સુધી આ કેરી પ્રસાદ સ્વરૂપે પહોંચાડવામાં આવશે. આ અગાઉ પણ કેરીના મનોરથ બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ તેમજ જૂનાગઢના દિવ્યાંગ ગૃહોમાં પ્રસાદ સ્વરૂપે કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રતિમાસ આરોગ્ય ચિકિત્સા કેમ્પ હોય કે પછી કુપોષિત બાળકોને ચીકી વિતરણ કરી અને સુપોષિત બનાવવાનો અભિયાન સોમનાથ ટ્રસ્ટ હંમેશા સામાજિક જવાબદારી નિભાવવામાં અગ્રેસર રહ્યું છે.
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ