23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

“બધુ સારું થઈ જશે, બધુ સારું થઈ જશે” કહીને તાંત્રિકે 2 લાખથી વધુની રકમ મહિલા પાસેથી પડાવી, મહિલાએ બાબાની વાતમાં આવી સોનાના દાગીના પણ ગીરવે મૂક્યા


રાજકોટમાં વધુ એક વખત અંધશ્રદ્ધાનો ભોગ બની લાખોની છેતરપિંડી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કોઠારીયા રોડ પર મહાત્મા સોસાયટીમાં રહેતી મહિલાને તમારી બધી સમસ્યાનો હલ થઈ જશે કહીને લાખો રૂપિયાની ઠગાઇ તાંત્રિક દ્વારા કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસ્ર તેઓએ ણાવ્યું કે આ તાંત્રિકનું નામ ઈશ્વર રાધાવલ્લભ જ્યોતિષ હતું. તેમજ તેઓએ તેની બીમારી વિશે વાત કરી અને તાંત્રિકે બધી સમસ્યાનો હલ થઈ જશે કહીને પહેલા વિધીના નામે પહેલા રૂ.૨૫૦૧ પડાવ્યા. ત્યારબાદ વિધિના નામે તાંત્રિકે મહિલા પાસેથી કટકે કટકે રૂ.૨.૭૩ લાખની રોકડ પડાવી હતી. ભાવનાબેને તાંત્રિકને પૈસા આપવા માટે સોનાના દાગીના પણ ગીરવે મૂક્યા હતા. બાદમાં ભાવનાબેને તાંત્રિક બાબા ઈશ્વર જોષીને ફોન કરીને કહ્યું હતું કે, તમને આટલા બધા રૂપીયા આપ્યા છતાં માનસીક બેચેનીમાં કે ધંધામાં કોઈ ફેરફાર તો થયો નથી. ત્યારે તાંત્રિકે ફરી, છેલ્લી વિધી કરવાની બાકી છે, વિધીના ૩૫ હજાર મોકલી દયો તમારું બધુ કામ પુરું થઈ જશે તેવું કહ્યું હતું. અંતે મહિલાની આંખ ઊઘડી અને બાદમાં તેમણે . સમગ્ર બનાવને લઈને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજસ્થાનથી તાંત્રિકને તાંત્રિકને ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -