મુળ ઓખા મીઠાપુરના રહેવાસી હાલ રાજકોટ અને સિંગાપુર રહેતા મનીષભાઈ અને દર્શકભાઈ રાયમંગિયા પરિવાર દ્વારા પવિત્ર દ્વારકા નગરી અને ગોમતી નદીના સાનિધ્યમાં સ્વ.પિતા અને સર્વે પિતૃઓના મોક્ષના કલ્યાણર્થે શ્રીમ ભાગવત સપ્તાહનો શુભ પ્રારંભ પોથીયાત્રા સાથે કરવામા આવ્યો હતો જેમા સર્વે વૈષ્ણવો પોથીને માથે લઈ જુમ્યા હતાં. અહી યુવા કથાકાર શાસ્ત્રી શ્રી ગૌરાંગભાઈ જોષી દ્વારા સાત દિવસ સુધી કથાનુ રસપાન કરાવવામાં આવશે આજે પ્રથમ દિવસે ભગવાન બાકેબિહારીના સ્વરૂપ શ્રૃંગાર સાથે સર્વે વૈષ્ણવો ઝૂમી ઉઠ્યા હતા અહી દ્વારકા નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રીમતિ જ્યોતિબેન સામાણીએ આ કાર્યને બિરદાવતા શુભકામના પાઠવી હતી..