25.2 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

નર્મદા મૈયા બ્રિજ પરથી મહિલાની મોતની છલાંગ : મહિલાને માછીમારો બચાવવા પહોંચ્યા પણ બચાવી ન શક્યા


 

ભરૂચના નર્મદા નદી ઉપર આવેલા નર્મદામૈયા બ્રિજ પરથી ગઈકાલે  સાંજના સમયે એક મહિલાએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી.આ જોતા જ અહિંયાથી પસાર થતા લોકો દોડી આવ્યા હતા, પરંતુ નદીમાં પાણીનું વહેણ વધુ હોવાના કારણે તે તણાવા લાગી હતી. આ બનાવ અંગેની જાણ સામાજિક કાર્યકર્તા ધર્મેશભાઈ સોલંકી કરતાં તેઓ સ્થળ પર પહોંચી ગામના માછીમારોનો સંપર્ક કરી મહિલાને બચાવવા માટે કોલ કરીને જાણ કરી હતી. તેઓએ પણ દોડી આવી મહિલાને બચાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ આ મહિલા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જોકે માછીમારોએ ભારે મહેનત બાદ પણ તેને શોધી નહિં શક્યા હતા. આ મામલે ધર્મેશભાઈ સોલંકીએ ફાયર બ્રિગેડ અને અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી.

 

 

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -