રાજકોટ સાયબર પોલીસ દ્વારા દિવાળીના તહેવારમાંફરવા જતા પેહલાલોકોને સતર્ક કરવામાં આવ્યા છે જેથી લોકો ફરવા જાય તેની પાછળથી કોઈ મુશ્કેલી ઉભી ન થાય. ત્યારે રાજકોટ સાયબર પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા સૂચનો અનુસાર પોલીસ તંત્રનું કહેવુ છે કે અત્યારે માર્કેટમાં ખુબ સારા અને મજબૂત લોક એટલે કે તાળા મળી રહ્યાં છે.તેનો ઉપયોગ કરવો.માર્કેટમાં અત્યારે જે તાળા મળી રહ્યાં છે તેને તોડવા ખુબ જ અધરા છે.જેથી જો તમે ફરવા જઈ રહ્યાં હોય તો તમારે યોગ્ય લોક મારીને પછી જ બહાર જવું.આ સાથે જ કોઈ પણ જગ્યાએથી બારી ખુલ્લી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. જો શક્ય હોય તો તમારા ઘરે તમારા નજીકના વ્યક્તિ રહે અથવા તો આસપાસના લોકો કે જેને તમે ઓળતા હોય તેને પણ તમે તમારા ઘરને સાચવવા માટે કહી શકો છો અથવા તો ત્યાં રહેવા માટે આગ્રહ કરી શકો છો. જેથી કોઈ મુશ્કેલી ઉભી ન થાય.કારણ કે ઘરમાં કોઈની હાજરી હશે તો કોઈ મુશ્કેલી ઉભી થશે નહીં.