38.6 C
Ahmedabad
Friday, June 6, 2025
spot_imgspot_imgspot_img

દાહોદમાં બેંક ઓફ બરોડા દ્વારા પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ જાગૃતિ રેલી


દાહોદમાં વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે “જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો” થીમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ અંતર્ગત, બેંક ઓફ બરોડાના કર્મચારીઓ દ્વારા દાહોદ નગરમાં પર્યાવરણ જન-જાગૃતિ અર્થે એક ભવ્ય રેલી યોજવામાં આવી હતી. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા પર્યાવરણીય નુકસાન અંગે લોકોને જાગૃત કરવાનો અને તેના ઉપયોગ પર સદંતર પ્રતિબંધ મૂકવા હાકલ કરવાનો હતો. રેલી દરમિયાન, બેનરો અને સૂત્રોચ્ચાર દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને પર્યાવરણ બચાવવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો, આ સાથેજ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ માટે વધુ એક પહેલ પણ કરવામાં આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -