23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

દરિયામાં વાવાઝોડાની શક્યતાઓને પગલે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયા કાંઠે 700 જેટલી બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે


દરિયામાં સુપર ફાસ્ટ ચાલતી બોટો અત્યારે જાફરાબાદના દરિયા કિનારે દરિયાના પાણી માંથી મસમોટી ક્રેઇન વડે ઊંચકાઈને કન્ટેનર ટ્રકમાં ભરવાની કામગીરી ચાલુ થઈ ચૂકી છે એક તરફ બીપર જોય નામનું વાવાઝોડું દરવાજે દસ્તક દઈ રહ્યું હોવાની આગાહી વચ્ચે માછીમારોના જીવ તાળવે ચોંટયા હોય પણ હાલ 5 થી 6 દિવસ અગાઉ માછીમારી બંધ કરવાની તંત્રની સૂચના અન્વયે 700 જેટલી બોટો કિનારે લાંગરી દેવાઈ છે જાફરાબાદ ના દરિયા કાંઠે બોટો ના ખડકલાઓ થઈ ગયા છે ને માછીમારો વેકેશનમાં સમૂહલગ્ન સહિત કામગીરીઓ કરીને એક બોટ માંથી બીજી બોટમાં ખલાસીઓ ફરતા હોવાનું બોટ એસોસિએશન ના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતું એક તરફ વાવાઝોડાનો ખતરો હજુ ટળ્યો નથી ને ભારે પવન ફુંકાવાની આગાહીઓ વચ્ચે માછીમારો વેકેશનમાં બોટોના સમારકામમાં જોતરાઈ ગયા છે ને બે માસ સામાજિક કામો માં વ્યસ્ત રહીને ફરી દરિયામાં રોજી રોટી માટે માછીમારો પરત દરિયામાં રવાના થશે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -