25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

તંત્ર ની ઘોર બેદરકારી આવી સામે; રાજકોટ જીલ્લા ના ધોરાજી ના ભુખી ગામ નજીક આવેલ ભાદર બે ડેમ ના છ થી સાત દરવાજાઓ લીકેજ હોવાથી રોજ લાખો લીટર પાણી નો વેડફાટ


ધોરાજી થી ઉપલેટા માણાવદર કુતિયાણા સહિત પોરબંદર સુધી ના 68 થી પણ વધારે ગામો ને સિંચાઈ પિયત પાણી પુરુ પાડતો ભાદર બે ડેમ કે જેના છ થી સાત દરવાજાઓ લીકેજ હોવાથી અહી રોજનુ લાખો લીટર પાણી નો વેડફાટ થઈ રહયો છે ત્યારે અહીના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેમજ આ ભાદર બે ડેમ ના દરવાજાઓ લીકેજ હતા ત્યારે ધોરાજી ઉપલેટા વિસ્તાર પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ પણ આ બાબતે તંત્ર તથા રાજ્ય સરકાર ને અનેક વખત રજુઆત કરેલ પણ નિંભર તંત્ર કોઈ લીકેજ દરવાજાઓ ની મરામત કરવામા આવેલ નથી જો આ લીકેજ તાત્કાલિક બંધ કરવામા નહી આવે તો જ્યારે વરસાદ નહી પડે ત્યારે જો પીવાનુ તથા સિંચાઈ નુ પાણી આપવામા ખેચ પડશે તેવુ લલિતભાઈ વસોયાએ જણાવ્યૂ હતું.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -