ડીએપી ખાતરની અછત સહિત વીજ ટાવર લાઇનમાં ખેડૂતોને પૂરતું વળતર આપવા બાબતે ભારતીય કિસાન સંઘ ભચાઉ તાલુકા દ્વારા નાયબ કલેક્ટર ભચાઉને રજુઆત કરવામાં આવી હતી વર્તમાનમાં કપાસ, મગફળી અને દાડમ જેવા પાકોની વાવણીની સિઝન ચાલુ છે અને ચોમાસું અન્ય પાકોના વાવેતર માટે સરકાર દ્વારા નર્મદા નહેરનું પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ વર્તમાન ભચાઉ તાલુકામાં ક્યાય સરકારી ડેપો પર ડીએપી ખાતર ઉપલબ્ધ નથી. માંડ ક્યાંક એક ગાડી આવે તો ત્યાં દૂર ગામડાના ખેડૂતો પહોંચે તે પહેલા વિતરણ થઈ જાય છે, માટે ખોટા ધકા અને સમય બગડે છે, તથા પાકની વાવણી પર અસર પડે છે. એ બાબતે ભારતીય કિસાન સંઘ ભચાઉ તાલુકા દ્વારા નાયબ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આવનારા 5 દિવસમાં ભચાઉ તાલુકામાં પૂરતો ડીએપી ખાતરનો જથ્થો મળી રહે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરાવવા જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ PGVCLના નવા પધારેલા કાર્યપાલક ઇજનેરને મળી વિવિધ ખેડૂતોના પ્રશ્નો બાબતે રજુઆત કરવામાં આવી હતી