જેતપુરના ઉપરવાસમાં વરસાદને કારણે પાણી આવક થતાં વાળા ડુંગરા ગામ પાસેનો છાપરવાડી- 2 ડેમ ઓવરફલો થયો હતો જેના કારણે ડેમના 3. દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા જેથી 11.600 ક્યુસેક આવક સામે 11.600 ક્યુસેક જાવક થવા માંડતા હરિપર, મેવાસા, જાંબુડી, પ્રેમગઢ, લુણાગરા, સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે સિંચાઈ માટે પાણી પૂરું પાડતો ડેમ ઓવરફલો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી તેમજ નદીના પટમાં અવરજવર નહિ કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી.