33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના જળચર જીવોને જીવદયા સંસ્થાઓ દ્વારા સ્થળાંતર કરી તળાવ ઊંડું ઉતારાશે


જૂનાગઢના નરસિંહ મહેતા તળાવનો બ્યુટિફિકેશન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિક્શન કામના સ્પષ્ટતા બાબતે મનપા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં નરસિંહ મહેતા સરોવર ડેવલોપમેન્ટનું કામમાં અવરોધરૂપ નિવેદનો અને આક્ષેપોની સ્પષ્ટતા કરવામાં આવી હતી. નરસિંહ મહેતા સરોવરનો એરીયા 1,31,380 ચોરસ મીટર છે, અને આ એરીયામાં કોઇપણ પ્રકારનો ઘટાડો થવાની સંભાવના નથી અને તળાવમાં પાણીની કુલ ક્ષમતા 591.21 એમ.એલ.ડી. છે જે તળાવની કામગીરી પુર્ણ થયા બાદ આશરે 815 એમ.એલ.ડી. થવા જઇ રહી છે. જે ખરેખર તળાવમાં જળસંચયમાં વધારો થશે.તેમજ હાલ તળાવની ઉડાઇ આશરે 4 મીટર છે, જે તળાવની કામગીરી પુર્ણ થયે થી 6 થી 7 મીટરની રહેશે ડેવલોપમેન્ટની સાથે સાથે તળાવની જળસંગ્રહ શકિત વધારવા પણ કામગીરી હાથ ધરવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -