27 C
Ahmedabad
Sunday, May 11, 2025
spot_imgspot_imgspot_img

જુનાગઢમાં વરસાદે તારાજી વેર્યા બાદ વધુ એક દુર્ઘટના સર્જાતા 4 લોકો મોતને ભેટ્યા હતા, જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં એક માળનું મકાન પત્તાના મહેલની જેમ ધરાશયી બનતા શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો છે, કાટમાળમાં દટાયેલા તમામના મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયા હતા,આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકો સહિત 4 લોકોના મોત થયા છે. રિક્ષામાં બેસી પરિવાર શાકભાજી લેવા ગયો હતો અને મકાન ધરાશાયી થતા જીવ ગુમાવ્યાં હતા ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે શું હવે જૂનાગઢ મનપા તંત્ર જાગશે કે પછી નિર્દોષ લોકોનો ભોગ લેવાતો જ રહેશે બાઈટ,1, સંજય કોરડીયા ધારાસભ્ય, જૂનાગઢ વિનોદ મકવાણા, જૂનાગઢ


કેશોદ શહેરમાં નગરપાલિકા સંચાલિત ચારેક બહુમાળી બિલ્ડીંગો જર્જરિત હાલતમાં હોય કેશોદ શહેરનાં શરદચોક વિસ્તારમાં આવેલ બિલ્ડીંગ માં પીઓપીની છત તોડી પોપડા પડ્યા હતા ત્યારે સદનસીબે કોઈ પ્રકારની જાનહાની થઈ નહોતી. કેશોદ નગરપાલિકા નાં જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ ને ચોમાસાં પહેલાં જ દુકાનદારો એ લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ સત્તાધિશો નાં પેટનું પાણી હાલતું નથી.  કેશોદના માંગરોળ રોડ શરદચોક વિસ્તારમાં સરઘસ શોભાયાત્રા વરઘોડો ડી જે નાં સથવારે પસાર થાય ત્યારે કાંકરીઓ ખરવા લાગે છે ત્યારે દુકાનદારોને બહાર નીકળી જવું પડે છે. કેશોદ નગરપાલિકા દ્વારા દુકાનદારો પાસેથી વેરો અને ભાડું વસુલવામાં પાછી પાની કરવામાં આવતી નથી ત્યારે જર્જરિત હાલતમાં રહેલ બિલ્ડીંગ ની મરામત કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવેછે

રિપોર્ટર –  દિનેશ મહિડા કેશોદ જુનાગઢ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -