હાલ ચર્ચાનો વિષય બનેલી જીગીશા પટેલ અને બન્ની ગજેરાની વાયરલ ઓડિયો ક્લિપ મામલે હવે પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ સમગ્ર ઘટનાને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે. પરષોત્તમ પીપળીયાએ જણાવ્યું કે, “નરેશ પટેલના ચરિત્ર વિશે કોઈ બોલી જ ન શકે. આ ઓડિયો ક્લિપ દ્વારા સમાજની એકતાને વેરવિખેર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ સંપૂર્ણપણે નરેશ પટેલને બ્લેકમેઇલ કરવા અને તેમની પાસેથી રૂપિયા પડાવવાનું કારસ્તાન છે.”પરષોત્તમ પીપળીયાએ પોલીસ તંત્ર પાસે આ મામલે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે, “પોલીસે આ ક્લિપનું તથ્ય જાણીને જવાબદારો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવી જોઈએ, જેથી સમાજમાં ખોટા તત્વોને પ્રોત્સાહન ન મળે અને સત્ય બહાર આવી શકે.”