32.1 C
Ahmedabad
Tuesday, June 10, 2025
spot_imgspot_imgspot_img

જન્મજાત બધિરતાની કોકિલયર ઇમ્પ્લાન્ટ જેવી જટિલ શસ્ત્રક્રિયા દ્વારા “રીવા”ની કાનની બહેરાશ દુર થઇ


રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતગર્ત જન્મજાત બહેરાશની સંપૂર્ણ સારવાર સરકારશ્રી દ્વારા તદન ફ્રીમાં કરવામાં આવે

રાજકોટ

રાજકોટમાં રહેતી રીવા દિલીપ અમેડા, ઉ.વ. ૨ વર્ષ, રહે. આંબેડકરનગર ૨/બ, આંબેડકરનગર શાળા નં ૮૨ સરકારી સ્કૂલની પાછળની આંગણવાડીમાં મવડી આર.બી.એસ.કે. ટીમ દ્વારા આરોગ્ય તપાસ કરતા, બાળકને સાંભળવામાં તકલીફ જણાતા, વધુ તપાસ માટે સિવિલ હોસ્પિટલ રાજકોટ રીફર કરતા, જન્મજાત બધિરતાનું નિદાન થતા કોકીલયર ઈમ્પ્લાન્ટની શસ્ત્રક્રિયા દ્વારા બાળક સાંભળી શકશે. એવું તજજ્ઞો દ્વારા બાળકના વાલીને સમજાવ્યું. જે બાદ તા. ૧૧/૧૦/૨૦૨૩ના રોજ, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોકીલયર ઇમ્પ્લાન્ટની સફળતાપૂવર્ક સર્જરી થયેલ, ત્યારબાદ તા. ૨૬/૧૦/૨૦૨૩ના રોજ બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ, જે બાદ તા. ૨૭/૧૦/૨૦૨૩ના રોજ આર.બી.એસ.કે. ટીમ દ્વારા બાળકના ઘરે વીઝીટ કરતા બાળક સંપૂર્ણ સવસ્થ જણાયેલ છે.

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતગર્ત જન્મજાત બહેરાશની સંપૂર્ણ સારવાર સરકારશ્રી દ્વારા તદન ફ્રીમાં કરવામાં આવે છે. આ માટે આર.બી.એસ.કે ટીમના ડો.વિજય ભાડુકિયા, ડો. શીતલ રાચાણી, ઉર્વશીબેન ચૌહાણ, ડો ઉર્વેશ મણવરના સતત માર્ગદર્શનથી બાળકનું સફળતાપૂર્વક ઓપરેશન થયેલ જેના માટે બાળકના પિતા દિલીપભાઈ અમેડાએ તમામનો તથા સરકારશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -