25 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

જંબુસર તાલુકાના નોબાર ગામે તળાવ કિનારે આશરે 400 થી 500 વર્ષ જૂનું કુવારા મહાદેવજીનું મંદિર આવેલું છે


જંબુસર થી આશરે 10 કિલોમીટર દૂર તળાવ પાસે આશરે 400 થી 500 વર્ષ પુરાણું નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરની વિશેષતા એ છે શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે પરંતુ પાર્વતી માતાજીની મૂર્તિ ની સ્થાપના કરાતી નથી તેથી કુવારા શિવજી તરીકે પણ આ મંદિર ઓળખાય છે લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા તપસ્વી બ્રહ્મચારી સાધુની સમાધિ આ જગ્યા ઉપર હતી ત્યારબાદ તેના ઉપર શિવ મંદિર ની સ્થાપના કરવામાં આવી તે વખતે માતાજીની મૂર્તિની સ્થાપના કરતી વખતે અનેક વિઘ્ન આવતા શિવ ભક્તો દ્વારા ચિઠ્ઠી નાખવામાં આવી હતી પાર્વતી મા માતાજીની મૂર્તિ ની સ્થાપના ન થઈ શકે તેમ જણાવ્યું હતું ત્યારબાદ માતાજીના સ્થાને ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી કુંવારા મહાદેવ તરીકે પણ આ મંદિરની ઓળખાય છે ઘરડા લોકોના જણાવ્યા પ્રમાણે વર્ષોથી પેઢી દર પેઢી આ બાબતની સ્થાનિકોને જાણ કરવા મા આવતી શ્રાવણ માસમાં મંદિરમાં ફૂલોનો શણગાર કરવામાં આવે છે વિદ્વાન પંડિત દ્વારા  શ્રાવણ માસની અંદર વિશેષ પૂજા અર્ચના રુદ્ર અભિષેક  કરવામાં આવે છે ગામના લોકો દ્વારા પણ વહેલી સવારથી જ પૂજા અર્ચના તેમજ અભિષેક કરી આરતી પણ લાભ લે છે

 

 

રિપોર્ટર : મનીષ પટેલ જંબુસર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -