બન્ની ગજેરાને મદદના આરોપમાં જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી તે પિયુષ રાદડિયાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ અને પોલીસ કર્મીઓ વિરુદ્ધ ડી.જી વિકાસ સહાયને ફરિયાદ કરી છે. પિયુષ રાદડિયાએ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને મેલ દ્વારા ફરિયાદ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના ગોંડલ શહેર પ્રમુખ પિયુષભાઈ લાલજીભાઈ રાદડીયાએ પોલીસ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી છે તેણે જણાવ્યું હતું કે ગત તા. 17-05- 2025 ના રોજ કેસના કામ અર્થે ગોંડલ કોર્ટમાં ગયા હતા. કોર્ટ બહાર LCB પોલીસ અધિકારીઓ પિયુષને બળજબરી પુર્વક પુછપરછ માટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવવાનું છે તેમ કહી લઈ ગયા હતા.બન્નીને ભાગવામાં મદદ કરી હોવાનો આરોપ પિયુષ પર મૂક્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમારે તેને પોતાના ચેમ્બરમાં બેસાડ્યો હતો. પીઆઈ પરમારે થોડીવાર બાદ કોન્સ્ટેબલને કીઘુ કે તેને નવા બાંધકામે લઈ લો. જયાં કોઈ CCTV કેમેરા નથી. ત્યાં તેને PI એ.ડી. પરમાર, PSI જાડેજા અને ત્રણ કોન્સ્ટેબલ નવા બિલ્ડીંગમાં લઈ ગયા હતા. ત્યાં પિયુષને માર મારવામાં આવ્યો હતો પિયુષે તેને લાકડાની પાટલી પર સુવડાવી મોઢામાં કેમિકલ વાળા પાણીમાં બોળેલું નેપકીન રાખ્યું હતું. કેમીકલ વાળુ પાણી મારા મોઢા પર નાખવાનું સતત ચાલુ રાખ્યું હતું. જેથી તેને ઉલટી થઈ હતી અને હોસ્પિટલે ખસેડાયો હતો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉચ્ચારવામાં આવી છે.