ગોંડલ તાલુકા ના કંટોલિયા ગામે થી બાંદ્રા આવેલ સ્કૂલ ખાતે દરરોજ 25 થી 30 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જતા હોઈ છે ત્યારે ગોંડલ ના પાંજરાપોળ ખાતે નો પુલ હેવી વાહનો માટે બંધ કરતા કંટોલિયા થી બાંદ્રા વચ્ચે નો ST બસ ના રુટ બંધ કરતા વિદ્યાર્થીઓના ભાવિ જોખમ માં મુકાઈ તેવી સંભાવના વર્તાઈ રહી છે. ST તંત્ર ને અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈ નિર્ણય નહિ આવતા અને ટૂંક સમય માં ST તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તેમજ ગ્રામજનો ભેગા થઈ રસ્તા રોકો આંદોલન ની ચીમકી ઉચ્ચારવામા આવી હતી. ગોંડલ તાલુકા ના કંટોલિયા ગામે થી બાંદ્રા આવેલ સ્કૂલ ખાતે દરરોજ 25 થી 30 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જતા હોઈ છે જેમાં ધોરણ 9 તથા 10 પણ કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલીઓ ના જણાવ્યા પ્રમાણે અમારા બાળકો વહેલી સવારે અંધારામાં ચાલીને તેમજ જે બાળકો પાસે સાયકલ સુવિધા હોય તે સાયકલ લઈને સ્કૂલે જાય છે. વહેલી સવારે અંધારામાં દરરોજ 5 થી 6 કિલોમોટર ચાલી સ્કૂલે જવાનું થતું હોય ડર માર્યા વિદ્યાર્થીઓ સ્કૂલે જવાનું પણ ટાળે છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે. જેથી વહીવટી તંત્ર આ પ્રશ્ન નો વહેલી તકે ઉકેલ લાવે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પુલ પરથી ભારે વાહનો બંધ થતાં એસ.ટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાને બદલે પાસ ના પૈસા પડાવી અને સુવિધા માં બસને બદલે ઠેંગો આપ્યો હતો.