24.3 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

ગીરસોમનાથના લોઢવાના સેવાભાવી સરપંચ, 1800થી વધુ પરીવારીને ફરસાણ તથા મીઠાઇનુ નિશુલ્ક વિતરણ


 

સમગ્ર ગુજરાત મા સરપંચ માટે દાખલો બેસાડે તેવો કિસ્સો ગીરસોમનાથ ના લોઢવા ગામે જોવા મળ્યો છે .સરપંચ એટલે ગામનો રાજા અને રાજા એજ કહેવાય કે જે પહેલા પ્રજાનુ હીત જોવે  .ત્યારે છેલ્લા 15 વર્ષ થી પણ વધુ સરપંચ તરીકે પોતાની સેવા લોઢવા ગામે આપતા હીરાભાઇ વાઢેર જે હાલના પણ સરપંચ છે તેમના દ્રારા લોઢવામા કોઇપણ જાતીના ભેદભાવ વગર  ફરસાણ તેમજ મીઠાઇનુ વિનામુલ્ય વિતરણ કરવામા આવે છે છેલ્લા આઠ દિવસથી ચોખ્ખુ ઘી અને તેલમા  ફાફડી ગાઠીયા,  તીખા ગાઠીયા, ભાવનગરી ગાઠીયા, ચવાણુ,  મીઠાઇ સહીતની તમામ વસ્તુઓ  બનાવવામા આવી છે અને જેનુ આજરોજ વિતરણ કાયઁક્રમ રખાયો હતો જેમા સાસંદ રાજેશ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયા, જીલ્લા પંચાયત સદસ્ય બાબુભાઇ પરમાર, સુત્રાપાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામભાઇ વાઢેર  સહીત અગ્રણીઓ ની ઉપસ્થિત મા વિતરણ કરવામા આવેલ હતુ આ વર્ષે અંદાજીત 5 ટન જેટલુ ફરસાણ  ગામમા વિતરણ કરાયુ છે ત્યારે દરેક સરપંચ  પોતાના વિસ્તારમા આવુ કાયઁ કરે તેવી પણ એક અપીલ કરી હતી.

 

 

રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -