રાજકોટ શહેરમાં ગરીબોની કસ્તુરી મોંઘી થઈ છે. જેમાં ડુંગળીનાં ભાવ પ્રતિકીલો રૂ. 60-70 પર પહોંચ્યા હતા. માત્ર એક સપ્તાહમાં રૂ. 35 ની કિલો વેંચાતી ડુંગળી હવે રૂ. 70 એટલે કે ડબલ ભાવે વેંચાઈ રહી છે. ત્યારે ડુંગળીનાં ભાવમાં વધારો થતાં ખેડૂતોને થોડી રાહત મળી છે. પણ ગરીબ-મધ્યમ વર્ગની ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા છે. જોકે મિશ્ર વાતાવરણનાં કારણે પાકને નુકસાન જતા આગામી સમયમાં પણ ભાવ વધારો આગળ વધવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.