કેશોદમાં વાસુદેવ યુવા સંગઠન દ્વારા લોક ઉપયોગી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કેશોદની સંજીવની હોસ્પિટલ દ્વારા રાહતદરે દર્દીઓની તપાસ સારવાર જરૂરી દવાઓ આપવામાં આવે છે ત્યારે સંજીવની હોસ્પિટલના સહયોગ થી સમગ્ર રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસ જેટલા દાતાઓ દ્વારા રકતદાન કરવામાં આવ્યુ હતું તેમજ એકત્ર કરેલ બ્લડ કેશોદની પટેલ વોલન્ટરી બ્લડ બેંકમાં જમાં કરાવેલ હતું આ સાથે વાસુદેવ યુવા સંગઠન દ્વારા આગામી દિવસોમાં લોક ઉપયોગી કાર્ય કરતા રહેવાની ભાવના સાથે લોક ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરશે તેમ વાસુદેવ યુવા સંગઠન પ્રમુખ ભરત બોરીચાએ જણાવ્યું હતું
કેશોદમાં વાસુદેવ યુવા સંગઠન દ્વારા સંજીવની હોસ્પિટલના સહયોગ થી રકતદાન કેમ્પનું કરાયું આયોજન…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -