સાબરકાંઠા જીલ્લો શાકભાજીનું હબ ગણાય છે અને અહિંની શાકભાજી ગુજરાત સિવાય અન્ય રાજ્ય અને ભારત બહાર પણ મોકલવામાં આવતી હોય છે. અહિં ચોમાસું પાકમાં મુખ્યત્વે વેલાવાળી શાકભાજી જેવી કે દુધી, ગલકા, તુરિયા, ઉપરાંત રીંગણ, કારેલા, ટામેટા, ભીંડા, ચોરી સહિતની શાકભાજીનું ઉત્પાદન પણ થતુ હોય છે ત્યારે હાલમાં આદુ, ટામેટા, કારેલા, મરચા સહિતના શાકભાજી ના ભાવમાં ધરખમ વધારો થયો છે.ખેડુતોએ ઉત્પાદન કરેલા શાકભાજીના ભાવની વાત કરીએ તો, કારેલા કે જે પહેલા 100થી 300 રૂપિયે 20 કિલો મળતા હતા જે અત્યારે 800થી 1000 રૂપિયા મળી રહ્યા છે.તો મરચાની વાત કરીએ તો મરચા જે પહેલા 500થી 600 રૂપિયે 20 કિલો મળતા હતા જે અત્યારે 1600થી વધુ ભાવે મળી રહ્યા છે. તો અત્યારે ટામેટાની તો વાત જ અલગ જ છે. જે એક કિલોના 160થી 180 રૂપિયા ભાવે વેચાઈ રહ્યા છે. એકંદરે આ વર્ષે ખેડુતેને શાકભાજીમાં સારું એવુ મળતર મળી રહ્યુ છે. વીઘે દીઢ અંદાજે 20થી 25 હજાર ખર્ચ થાય છે. જેનુ ઉત્પાદન અંદાજે 1 લાખ 30 હજારથી લઈ 1 લાખ 50 હજાર સુધી મળી રહે છે.ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, આ વખતે પાક વાવેતર ઓછું થયું હોવાને કારણે શાકભાજીના ભાવ વધારે મળી રહ્યા છે. જેના કારણે ખુશીનો માહોલ છવાયો છે.
ઉમંગરાવલ સાબરકાંઠા