27.1 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

આણંદના ઓડનગરમા શ્રીનિલકંઠ મહાદેવ ખાતે શ્રાવણ વદ સાતમના શીતળા સાતમના દિવસે બહેનો ધ્વારા શીતળામાતાની પુજા કરવામા આવી હતી


 

આણંદના ઓડનગરમા શ્રીનિલકંઠ મહાદેવ ખાતે શ્રાવણ વદ સાતમના  શીતળા સાતમના દિવસે  બહેનો ધ્વારા શીતળામાતાની પુજા કરવામા આવી હતી નીલકંઠ  મહાદેવ પાસે આંગણવાડીના ઓટલે મહિલા મંડલ દ્વારા શીતળામાતાની પૂજનનુ આયોજન કરવામાં આવેલ નિલકંઠ મહાદેવ પાસે રાજુભાઈ પાઠકે સૌ મહીલાઓને શિતળામાતાની પૂજા કરાવી હતી શીતળા માતાની પૂજા કરવાથી  તમામ પ્રકારના રોગો દુર થાય છે સમગ્ર પરીવારના રોગો પણ શીતળામાતાની કૃપાથી દુર થાય છે. શીતળામાતાના હાથમા સાવરણી ,કલશ , સૂપ અને લીમડાના પાન હાથમા હોય છે. શીતળા સાતમના દિવસે ઠંડા પાણીએ સ્નાન ત્થા ઠંડુ ખાવાનો રિવાજ છે .આ દિવસે રસોઈ બનાવવા માટે આગ પ્રગટાવવામાં આવતી નથી . આગલા દિવસે છઠ્ઠ ના દિવસે બનાવેલું ભોજન કરવામા આવે છે. ઓડનગરમા પૂરી શ્રધ્ધા, ઉમંગથી સૌ મહીલાઓએ આ વ્રત કરી શીતળામાતાની પૂજા , પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી

 

દિલીપભાઈ એસ. પટેલ.-ઓડ.(આણંદ).


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -