આણંદના ઓડનગરમા દરેક જગ્યાએ તથા ઘરોમા “ગણેશ મહોત્સવ “ની ઉજવણી કરવામા આવી રહી છે. ઓડના સૌ ધર્મપ્રેમી પ્રજાજનો સંપીને વર્ષોથી ભેગા મળીને આ ઉત્સવ મનાવી રહ્યા છે. દર વર્ષે આનંદ, ઉલ્લાસથી આ ઉત્સવ ઉજવવામાં આવેછે. ગણેશ ચતુર્થીના દિવસે મલાવ ભાગોળે વાજતે ગાજતે શુભ મૂહઁતમા ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામા આવી હતી . બહુ મોટી સંખ્યામા ભક્તોની હાજરીમા પૂજા, આરતી કરવામા આવી હતી . અન્નકૂટ ધરાવવામા આવ્યો હતો દશ દિવસ ભકિતમય વાતાવરણમા હર્ષ , ઉલ્લાસ પૂર્વક આ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન ગણેશ પોતાના ભક્તો ની દરેક મનોકામના પૂર્ણ કરેછે.—
દિલીપભાઈ એસ. પટેલ.-ઓડ-(આણંદ).