24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટ દિલ્હી દ્વારા જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર એનાયત


 

જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર ગુરૂ દતાત્રેય શિખર ઉપર  જૈનનાં સમર્થકો દ્વારા કરેલ હુમલાનો વિવાદ વકર્યો છે. જેને લઈ ભવનાથ ખાતે અખિલ વિશ્વ ગૌસંવર્ધન ટ્રસ્ટ દિલ્હી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી અને કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ હોવાનું ગણાવ્યું હતુ. તેમજ આ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું. દત્તાત્રેય શિખરનો મુદ્દો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રનાં જૈન સમુદાયનાં લોકોએ દત્તાત્રેય શિખર પર હુમલો કરી અને પહોંચાડવાની પ્રવૃતિ કરી હતી. જેથી આ ઘટનાને કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ હોવાનું ગણાવ્યું હતું. ઉપરાંત આ ઘટનાને લીધે સમગ્ર સાધુ સમાજ, સનાતન ધર્મ, અખાડા પરિષદનું અપમાન થયું હોવાનું ગણાવી સખત વિરોધ નોંધાવ્યો હતો.

 

 

વિનોદ મકવાણા,જૂનાગઢ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -