હળવદના કોયબા ગામના પાટિયા પાસે ખેડૂતને ડરાવીને એક લાખ બાર હજાર રૂપિયા પડાવીને ગઠિયા ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.. સમગ્ર ઘટના મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડમા તલ વેહચવા માટે ખેડૂત આવ્યા હતા. તે દરમિયાન સાધુના વેસમા બે ઈસમો કાર લઈને આવ્યા અને રસ્તો પૂછવાના બહાને ખેડૂતને ઉભો રાખ્યો હતો. બાપુના આશીર્વાદ લે તેમ કહીને ગઠિયા ખેડૂતને માર મારવા લાગ્યા હતા. બાદમાં ખેડૂત સાથે રહેલા પૈસા લઈને ગઠિયા ફરાર થઈ ગયા હતા. હાલ તો હળવદ પોલીસે નાકાબંધી કરી ગઠિયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.. ત્યારે સિટી ન્યૂઝ દ્વારા પણ અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ ન કરવો અને ખાસ કરીને પૈસાની લેવડદેવડ કરતી વખતે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -