સાળંગપુર હનુમાનજી મંદિરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ હનુમાનજી મહારાજને સ્વામિનારાયણના સાધુઓને પગે લાગતાં ભીંતચિત્રો દર્શાવતા ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુ વાળાએ પણ આ મામલે નિવેદન આપી ભીંતચિત્રો હટાવવા માંગ કરી છે. આ મામલે તેમણે જણાવ્યું છે કે, આ મુદ્દાનો વિવાદથી નહિ, સમન્વયથી ઉકેલ આવવો જોઇએ. હનુમાન દાદા સૌના વડીલ છે, આ વાત સ્વામિનારાયણ સંપ્રદાયના ઘરે-ઘરે સુધી પહોંચાડીને ગળે ઉતારવી જોઇએ. જે કંઈ વિવાદ ચાલી રહ્યો છે, આપણા સંતો અને સ્વામિનારાયણના સંતો સાથે મળીને આપણી સંસ્કૃતિને અનુરૂપ નિરાકરણ કરશે, તેવો મને વિશ્વાસ છે. ભગવાનની મૂર્તિનું વૈચારિક નિરુપણ યોગ્ય છે કે નથી? આ અંગે ચર્ચા કરવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે.