કચ્છના ભચાઉ તાલુકાના સામખયાળીથી શિકારપુર સુધીનો 23 કિલોમીટર રોડ જે સ્ટેટ વિભાગમાં આવે છે 2 મહિના અગાઉ નવનિર્માણ કરવામાં આવેલ જેની સાઈડમાં માટી કામ બાકી હતું આ અહેવાલ સીટી ન્યુઝ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવતા વહીવટી તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે માટી નાખવાનું કામ ચાલુ કરી દીધું હતું ત્યારે સામખયારી ગામના સરપંચ જગદીશ મહારાજ, લલીયાણાના સરપંચ મહાવીરસિંહ, જંગી ગામના સરપંચના પ્રતિનિધિ ગુલમામદ રાયમા, શિકારપુર ગામના સરપંચ મેજીબેન મિયાત્રાએ સિટી ન્યૂઝની પ્રજાલક્ષી કામગીરીને બિરદાવી હતી લલીયાણા મુકામથી સાઈડમાં માટી નાખવાનું કામ ચાલુ કરેલ છે સિટી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે જંગી ગામ નજીક જે બાકી રહેલા ડાયવર્ઝન છે એ પણ કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે એવી લોકમાગ ઉઠવા પામી છે.