22 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે મુક્તેશ્વર મહાદેવને 50 કિલો ફ્રૂટ નો શણગાર કરવામાં આવ્યો: 365 દિવસ અલગ અલગ શણગાર કરવામાં આવે છે.


ગોંડલી નદીના કિનારે મુક્તિધામ ખાતે બિરાજમાન વર્ષો જૂનું પ્રાચીન મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે 365 દિવસ મહાદેવજી ને અલગ અલગ શણગાર કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર મહાદેવજી ને અલગ અલગ ફ્રુટ તેમજ ફૂલો અને બીલીપત્ર નો શણગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં શિવ ભક્તો આરતી તેમજ દર્શનનો લાભ લે છે. શ્રાવણ મહિના ના દર સોમવારે સવારે ફ્રૂટ નો શણગાર કરવામાં આવશે.ત્યારે આજે સફરજન, કેળા, દાડમ, ખારેક, સંતરા, ચીકુ, અનાનસ, જામફળ,તરબૂચ, મોસંબી, દ્રાક્ષ, ડ્રેગન ફ્રુટ, કીવી, જરદાલું, સીતાફળ, નાસપતિ સહિત ના અલગ અલગ 16 પ્રકારના અંદાજે 50 કિલો થી પણ વધુ ફ્રુટ નો શણગાર મુક્તેશ્વર મહાદેવજી ને કરવામાં આવ્યો હતો. તેમજ ફ્રુટ ની સાથે સાથે અલગ અલગ રંગબેરંગી ફૂલોનો અને બીલીપત્ર માં ચંદન થી ૐ નમઃ શિવાય લખી ને શણગાર કરવામાં આવ્યો હતો. શણગાર માં રાખેલા ફ્રૂટ ને સોમવારે બપોરે દર્શનાર્થે આવતા ભક્તોને ફ્રૂટની પ્રસાદી આપવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -