રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે ગિરીશ ભીમાણીને હટાવીને તેના સ્થાને ડૉ નિલાંબરી દવેની નિમણૂક કરી છે.શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પત્ર જાહેર કરીને તાત્કાલિક અસરથી ડૉ. ગિરીશ ભીમાણીને હટાવી દેવામાં આવ્યા છે અને ડૉ નિલંબરી દવેનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અચાનક જ ગિરીશ ભીમાણીને હટાવી દેવામાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. કેટલાક લોકો આ નિમણૂકને યુનિવર્સિટી કોમન એક્ટની કાર્યવાહી માની રહ્યા છે તો કેટલાક લોકો વિવાદોને કારણે ગિરીશ ભિમાણીને હટાવાયા હોવાની વાત કહી રહ્યા છે.જો કે હાલમાં ગિરીશ ભીમાણીને કુલપતિ પદેથી દુર કરાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રાજકારણ ગરમાયું છે.જો કે ગિરીશ ભીમાણીએ ઇન્ચાર્જ કુલપતિ તરીકે ચાર્જ લીધો ત્યારથી વિવાદનો પર્યાય બન્યા છે.શિક્ષણ વિભાગ દ્રારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડૉ નિલંબરી દવેનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ડૉ નિલંબરી હોમ સાયન્સ વિભાગના વડા તરીકે ફરજ બજાવે છે. ડૉ નિલંબરી અગાઉ વર્ષ 2018-19માં ઇન્ચાર્જ કુલપતિ તરીકે રહી ચૂક્યા છે. ડૉ નિલંબરી દવેના પતિ આલોક ચક્રવાત ગુરૂ ઘાંચીદાસ યુનિવર્સિટીના કુલપતિ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગિરીશ ભીમાણી કુલપતિ તરીકે આવ્યા ત્યારથી વિવાદનો પર્યાય બન્યા છે.ગુજરાતના રાજકારણમાં જે પરિવર્તન આવ્યું તેની સીધી જ અસર જોવા મળી.ગિરીશ ભીમાણીના કાર્યકાળમાં ભાજપના બે જુથ આમને સામને આવી ગયા અને રૂપાણી જુથના હોદ્દેદારોને દુર કરવાનું કામ કર્યું છે. મીડિયા સાથે વાત કરતા ઇન્ચાર્જ કુલપતિ નિલાંબરીબેન દવેનું મોટું નિવેદન આપ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જવાબદારી સોંપી તે પારદર્શક રીતે નિભાવિશ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદો અને કૌભાંડો અંગે તપાસ કરાવીશ. ત્યારે હાલ પ્રથમ પ્રાયોરિટી ‘નેક’ ઇસ્પેકશનની રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રેડ અંગે કામગીરી કરવામાં આવશે. મહિલાઓની સુરક્ષા પ્રથમ પ્રાયોરિટી રાખવામાં આવશે. સરકારે જે જવાબદારી સોંપી તેમાં ભરતી પ્રકરણ હોઈ કે પરીક્ષા કૌભાંડ હોઈ તેમાં પારદર્શકતા રાખીશ.