22 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં હવે અધ્યાપકો માટે આઠ કલાકની હાજરી ફરજીયાત


રાજકોટનીસૌરાષ્ટ્રયુનિવર્સિટીના ભવનોમાં અત્યાર સુધી અધ્યાપકો સવારના 10થી સાંજના 6 કલાક દરમ્યાન શમ્બ મશીનમાં મારી પોતે ભવન ઉપર હાજર હોવાનો પુરાવો આપતા હતા. પરંતુ હવે યુનિ. દ્વારા નિયત કરાયેલા સમય મુજબ જ મશીનમાં થમ્બ મારવા અધ્યાપકોને તાકીદ કરવામાં આવી છે. જેમાં ભવનોમાં મુકાયેલા થમ્બ મશીનમાં સવારના 10 વાગ્યાના અડધો કલાક પહેલા અને સાંજના 6 વાગ્યાના પછીના અડધો કલાક બાદ થમ્બ મશીનમાં મારવા અનુરોધ કરવામાં આવેલ છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે પૂર્વ કુલપતિ ડો. નીતીનભાઈ પેથાણીના સમયકાળ દરમ્યાન યુનિ.ના તમામ ભવનોમાં અધ્યાપકોની હાજરી પુરવા માટે થમ્બ મશીન મુકવામાં આવેલ છે. પરંતુ યુનિ.ના કેટલાક ભવનોના ગુટલીબાજ અધ્યાપકોએ પોતાની મનમાની ચલાવી રાખતા હોવાનું સામે આવી રહ્યું છે આ સંજોગોમાં આવા ગુટલીબાજો અધ્યાપકો ઉપર વિશેષ નિયંત્રણ મુકવામાં આવે તેવો શુર પણ અધ્યાપકોના એક વર્ગમાંથી ઉઠવાપામેલ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -