23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ શહેરના કોટેચા ચોક પાસે સૌરાષ્ટ્ર હાઇસ્કુલ સામે આવેલા 40 વર્ષ જુના અરવિંદ મણીયાર કવાર્ટર જર્જરીત બની ગયા હોય લોકો દ્વારા કરાયો વિરોધ…


રાજકોટ શહેરના કોટેચા ચોક પાસે સૌરાષ્ટ્ર હાઇસ્કુલ સામે આવેલા 40 વર્ષ જુના અરવિંદ મણીયાર કવાર્ટર જર્જરીત બની ગયા હોય, થોડા વર્ષ પહેલા પીપીપી હેઠળ રી-ડેવલપમેન્ટ સ્કીમ લાગુ કરાતા ભારે વિવાદો અને વિરોધ વચ્ચે અંતે આવતીકાલે પૂરી જગ્યા ખાલી કરાવી, બિલ્ડર કંપનીને કબ્જો સોંપવાની કાર્યવાહી કાલે સવારે 8 વાગ્યે કરવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો હતો જેની સામે 38 જેટલા આસામી કોર્ટમાં ગયા હતા. પરંતુ આ કેસ વચ્ચે હાઇકોર્ટ તરફથી કોઇ સ્ટે અપાયો ન હોવાથી મનપા દ્વારા જગ્યા ખાલી કરાવવા અંગે ની નોટિસ આપવામાં આવી હતી. પરંતુ નોટિસ ના વિરોધમાં જવાબમ આપતા આસામીઓએએવું કહ્યું હતું કે આ નોટીસ બદઇરાદાની છે. રી-ડેવલપમેન્ટ સ્કીમમાં 400 કરોડથી મોટો ભ્રષ્ટાચાર થવાનો છે.. આ સાથે  કાલની કામગીરી રોકાય તે માટે આ આસામી કમિશ્નર અને મેયરને રજુઆત કરવા દોડી આવ્યા હતા. કમિશ્નર આ આસામીઓને મળી શકયા ન હતા. બાદમાં તેઓએ મેયર ડો.પ્રદીપ ડવને રજુઆત કરી હતી. જેમાં લાંબા સમય પહેલાની આ પીપીપી રી-ડેવલપમેન્ટ યોજના નિયમ મુજબ આગળ વધી રહી છે. આ જગ્યાએ આસામીઓને નવા પાકા ફલેટ મળવાના છે. આથી તમામ કાનુની અને વહીવટી પ્રક્રિયા બાદ આ કામ થઇ રહ્યાનું તંત્રએ જણાવ્યું હતું


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -