શહેરના દૂધસાગર રોડ પર પાનની દુકાન નજીક ગાંજો પીવાની મનાઈ કરતા 3થી4 શખ્સોએ વેપારીને છરીની ઘા મારીને હત્યા નિપજાવી છે. જોકે, આ સમગ્ર હત્યાના મામલે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ 3 દિવસમાં આ બીજી હત્યાનો બનાવ સામે આવતા પોલીસ વિભાગ પર સવાલો ઉભા થાય છે. તેમજ રાજકોટ શહેરમાં પણ ગાંજાનું વહેચાણ પોલીસની મીઠી નજર હેઠળ થતું હોવાનું લાગી રહ્યું છે. આ સાથે બનાવ અંગેની જાણ થતા સ્થાનિક થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તેમજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ, SOG સહિત પોલીસ કાફલો અને ASP કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે હાલ મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી હત્યા થયેલી જગ્યા તેમજ આસપાસની જગ્યામાં CCTV ફૂટેજ છે કે કેમ સહિતની દિશામાં તપાસ કરી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.