28.8 C
Ahmedabad
Tuesday, June 17, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ જિલ્લા કલેકટરના આદેશને લઈ રાજકોટના જામનગર રોડ પાસે આવેલ ઘંટેશ્વર વોર્ડ નં 1 માં નવી કોર્ટ સામે કરાયેલ ગેર કાયદેસર બાંધકામના દબાણો કરવામાં આવ્યા દૂર


રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીની સૂચના બાદ તાલુકાના ઇન્‍ચાર્જ મામલતદાર શ્રી જૈમન કાકડીયા  અને તેમની ટીમે આજે ઘંટેશ્વર સર્વે નં. ૧પ૦ અને માધાપર સર્વે નં. ૧૧૧ મી કુલ ૬ હજાર ચો.મી. જમીન ઉપર ખડકાઇ ગયેલ. દબાણો ઉપર જેસીબી ફેરવી બૂલડોઝર ફેરવી દઇ અંદાજે ર૦ કરોડની જમીન ખુલ્લી કરાવી મામલતદારે પ્રાંત અને કલેકટરને રીપોર્ટ કરી દીધો હતો. ત્યારે અધિકારી સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મામલતદાર શ્રી જૈમીન કાકડીયા અપાયેલ નોટીસની અવધી પુરી થયા બાદ તેમની ટીમના સિનિયર મોસ્‍ટ નાયબ મામલતદાર શ્રી રઘુભા ગોહેલ, તલાટીશ્રી નિલેશભાઇ, પીવીસીએલની ટીમો તથા પોલીસ કાફલા સાથે ઉપરોકત સર્વેની સરકારી જમીન ઉપર ઉભા થઇ ગયેલ દબાણો તોડી પાડવા દોડી ગયા હતા, નવા કોર્ટ ભવનની પાસે જ ઉભા થઇ ગયેલ આ દબાણોમાં બપોર પહેલા ર૦ ઓરડી એક વાણંદની દુકાન, એક ચા-રેસ્‍ટોરન્‍ટની હોટલ, ર૦૦-ર૦૦ વારના પ્‍લોટમાં ત્રણ પ્‍લીન્‍થ લેવલનું બાંધકામ, તોડી પડાયા હતા, આ પછી બપોર ૧ વાગ્‍યા બાદ વધુ ર૦ ઓરડી  તોડી પાડવા કાર્યવાહી શરૂ કરાઇ હતી, અંદાજે કુલ ૬ હજાર ચો.મી. જમીન કે જેની કિંમત ર૦ કરોડ થવા જાય છે, તે ખુલ્લી કરાવાઇ હતી, હાઇવે ટચની આ જમીન ઉપર ધારા જેવું બાંધકામ હતુ તે પણ તોડી પડાયા હતા. તેમજ ઓરડીમાં રહેતા મોટાભાગના આઉટ સ્‍ટેટ હોવાનું અને અમુક માથાભારે ભરવાડ તથા અન્‍ય શખ્‍સોએ જગ્‍યા ઉપર ઓરડીઓ બનાવી તે ભાડે આપી દીધી હોવાનું ખુલ્‍યું હતું, જગ્‍યા પચાવી પાડનાર આ માથાભારે શખ્‍સો ભાગી ગયાનું હાલ બહાર આવ્‍યું છે, વહીવટી સ્‍ટાફે નિવેદનો પણ નોંધ્‍યા છે, ર થી ૩ છાપરાવાળા મકાનો હતા તે પણ તોડી પડાયા હતા, હજુ વધુ ઓપરેશન સોમવાર બાદ હાથ ધરાવાની શકયતા છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -