રાજકોટના જન્માષ્ટમી લોકમેળાને લઈને જિલ્લા કલેકટરની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, 14 ઓગષ્ટ થી 18 ઓગષ્ટ સુધી લોકમેળો યોજાશે. તેમજ 9 જૂનથી 13 જૂન સુધી સ્ટોલ અને પ્લોટ માટે અરજી સ્વીકારવામાં આવશે. જ્યારે 23 જૂન થી 26 જૂન દરમિયાન ડ્રો અને હરાજી કરવામાં આવશે. આ વખતે પણ લોકમેળાની રંગત ઝાંખી પડશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળામાં SOPનું કડક પાલન કરાવશે. રાઈડ્સ સંચાલકોની SOP હળવી કરવા માટેની માંગ કરવામાં આવી છે. ગત વર્ષે SOPના કડક નિયમોને કારણે લોકમેળામાં રાઈડ્સ શરૂ થઈ શકી ન હતી. નવા રેસકોર્ષમાં જગ્યા સમતલ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. રેસકોર્ષમાં વૈકલ્પિક રીતે મેળો કરવા તૈયારીઓ શરૂ કરાઇ છે. R&B વિભાગ દ્વારા જગ્યા સમતલ કરવા રિપોર્ટ આપ્યો છે. ગ્રાન્ટ આવ્યા બાદ કેટલા સમયમાં જગ્યા સમતલ થશે તે R&B વિભાગ જ કહી શકે છે.