શનિવારના સાંજે નટેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રા: રવિવારે સાંજે મહાપ્રસાદનું આયોજન તથા પોરબંદરના ભકિતકાર અશોક ભાયાણીની સંતવાણી યોજાશે
રાજકોટ,તા.3
રાજકોટમાં કોઠારીયા કોલોની 80 ફુટ રોડ, શેઠ હાઈસ્કૂલની બાજુમાં આવેલ શ્રી નટેશ્વર મહાદેવ મંદિરના આંગણે આગામી તા.6 થી 8 સુધી ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
આ અંગેની વિગતો આપવા ‘સિટી ન્યૂઝ ’ના આંગણે મનોજભાઈ મારૂ, સુસભા જાડેજા, અરૂણ નિર્મણ, કૌશિક ટાંક, જયેશ જાની, ધ્રુવભાઈ કુંડલ, ગૌતમ ગોસ્વામી, દિનેશભાઈ મોલીયા, સુરેશભાઈ ડોડીયા, સહિતના અન્યો આવેલા હતાં.
શ્રી નટેશ્વર મહાદેવ મંદિર 80 વર્ષ જૂનું છે ભકતોનું આસ્થાનું ધામ છે.આ મંદિરનો ર્જીણોધ્ધાર કરવામાં આવેલ છે. તા.6 થી 8 ત્રિદિવસીય પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે.
પુન:પ્રતિષ્ઠા વિધિ:-
આ મહોત્સવમાં મહાદેવજી ઉપરાંત શિવ પરિવાર, રામ પરિવાર, રાધાકૃષ્ણદેવ, હનુમાનજી મહારાજ, મહાકાળી માઁ, ખોડિયાર માઁ, આશાપુરા માઁ, દિશાના દેવો, ઋષિ મુનિઓની મૂર્તિઓની પણ પુન: પ્રાણ પ્રતિષ્ઠા વિધિ રાજકોટ સૌરાષ્ટ્રના સુવિખ્યાત પ.પૂ. આચાર્ય શાસ્ત્રી શ્રી હર્ષદભાઈ જે. જોશી તથા પ.પૂ. ઉપાચાર્યશ્રી કિરીટભાઈ ભટ્ટ દ્વારા ધામધૂમ પૂર્વક વૈદિક મંત્રોચ્ચાર કરી ને મહાદેવજીને આહવાન કરીને મૂર્તિઓનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિ:-
આ પાવન પ્રસંગે સંત સમુદાય સર્વ શ્રી હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહાસચિવ તથા સંયોજક પરમ પૂજ્ય શ્રી સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીજી; બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય શ્રી બ્રહ્મ તીર્થ સ્વામી ; ગુરુકુલ સ્વામિનારાયણ મંદિર ના પરમ પૂજ્ય શ્રી દેવકૃષ્ણ સ્વામી; મુખ્ય સ્વામિનારાયણ મંદિર રાજકોટના પરમ પૂજ્ય શ્રી રાધા રમણ સ્વામી; જગતગુરુ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર શ્રી પંચના અખાડા (મુજકુંદ ગુફા) જૂનાગઢના પરમ પૂજ્ય શ્રી મહેન્દ્ર નંદગીરીજી મહારાજ; કુવાડવાના પરમ પૂજ્ય શ્રી યતિ બ્રહ્મ દેવજી મહામંડલેશ્વર; ધોરાજીના પરમ પૂજ્ય શ્રદ્ધાનંદ ગીરીજી મહારાજ; બાલાજી મંદિર રાજકોટના પરમ પૂજ્ય શ્રી વિવેક સાગર સ્વામી; આત્મીય કોલેજ રાજકોટના પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી શ્રી ખાસ ઉપસ્થિત રહેશે.
મંદિરનોે ર્જીણોધ્ધાર:-
આ નટેશ્વર મહાદેવ મંદિર એકદમ જીર્ણ શીર્ણ થઈ ગયેલ જેનો જીર્ણોધ્ધાર કરવો જરૂરી હતો. મહાદેવજીની કૃપાથી મહાદેવના ભક્ત મનોજભાઈ મારું અને સુરુભા જાડેજા એ સંકલ્પ લીધો અને વર્ષ 2024 મા મંદિરના જીર્ણોધ્ધાર ની શરૂઆત કરવામાં આવી નટેશ્વર મહાદેવજીનું શિખરબંધ મંદિર અંદાજીત બે કરોડ ના ખર્ચે, 32000 ફુટ લાલ પથ્થર ઉપર સુંદર નકશી કામ કરવામાં આવ્યું છે.
પરિસરમા બીજી 7 નાની દેરીઓ બનાવવામાં આવી છે. મુખ્ય મહાદેવજીનું મંદિર અને આ મંદિરના પરિસરમાં બનાવેલ દેરીઓના શિખરો ઉપર સોનાનો ઢોળ ચડાવેલ કળશ અને ઘ્વજ દંડ મુકવામાં આવશે.
ઉપરાંત મંદિર તેમજ તેના પરિસરમાં કાયમી ઝગમગાહટ રહે તે માટે આકર્ષક એલ.ઇ.ડી લાઈટો મુકવામાં આવી છે. ભક્તજનો મંદિરમાં મહાદેવજી ની પૂજા 24 કલાક મા ગમે ત્યારે કરી શકશે. પૂજા માટે ની:શુલ્ક પૂજાના ફૂલ, બીલીપત્ર, કંકુ ચોખા, સહિત તમામ પૂજા સામગ્રી ત્યાંથી જ મળી રહેશે.
આ ભવ્ય અને દિવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના ભક્તજનોને મહાદેવને વધાવવા ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ છે. મહોત્સવની પૂર્ણાહુતિ ના દિવસે ભોજન મહાપ્રસાદ રાખવામાં આવેલ છે.તેમ મનોજભાઈ મારૂ તથા સુરુભા જાડેજાએ જણાવેલ છે.
♦ નટેશ્વર ધામ મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમની રૂપરેખા
રાજકોટ,તા.3
શ્રી નટેશ્વરધામ મહોત્સવ તા. 6 ને શુક્રવાર ના રોજ પ્રથમ દિવસે સવારે 7-30 કલાકથી 9-00 કલાક સુધી તિલક કરણ, મંગલા ચરણ, ગણપત્યાદિ પંચાગ કાર્ય તેમજ સવારે 9-15 થી 12-30 કલાક સુધી વિધિ પૂજન , મંડપ પૂજન, પ્રવેશાગ કર્મ, દેવતા સ્થાપન, નવગ્રહ શાંતિ,કુંડ પૂજન , અગ્નિ સ્થાપન હોમ રાખવામાં આવેલ છે ત્યારબાદ બપોરે 3-00 કલાકથી સાંજના 5-15 કલાક સુધી જલાધિવાસ, કુટિર હોમ, જલે પ્રતિમાધિવાસ, સાયં સ્થાપિત દેવતા પૂજન, નિરાજન સ્તુતિ રાખવામાં આવી છે.
શનિવાર:-
તા. 7 ને શનિવાર દ્વિતીય દિવસે સવારે 7-30 કલાકથી બપોરે 1-30 કલાક સુધી સૂર્યાર્ધ પૂજા, મંડપ દ્વાર પૂજા, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવોની પૂજા, જળયાત્રા, પ્રસાદ વાસ્તુ શાંતિ, મુતિ નિક્ષેપવિધિ, સ્નપન વિધિ તેમજ બપોરે 2-30 થી 4-15 સુધી શપ્યાધીવાસ, ન્યાસાદી કર્મ, તત્વન્યાસ, શાંતિ પૌષ્ટિક હોમ, મૂર્તિપતિ, લોકપાલ હોમ, સ્થાપત્ય, દેવ હોમ, વ્યાહતી હોમ, પ્રસાદ સ્નપન, ન્યાસાદીકર્મ, સ્થાપય દેવ હોમ, સાયં પૂજા,નિરાજનાદી કર્મ, તથા તા. 7 ને શનિવારે સાંજે 4-30 થી 6-00 કલાક સુધી ભવ્યાતીત ભવ્ય શોભાયાત્રા નટેશ્વર મહાદેવ મંદિર થી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને સોરઠીયાવાડી ચોક, પવનપુત્ર ચોક , સોરઠીયાવાડી ચોક, ભક્તિ નગર સર્કલ થી નટેશ્વર મહાદેવ મંદિર સમાપન થશે. ત્યારબાદ ધર્મસભા રાખવામાં આવેલ છે.
રવિવાર:-
તા. 8 ને રવિવાર ના રોજ સવારે 7-30 થી 12-30 કલાક સુધી સૂર્યર્ધ મંડપ પ્રવેશ, સ્થાપિત દેવોની પૂજા, દિગહોમ મૂર્તિ, મૂર્તિ પતિ,વ લોકપાલ સ્થાપત્ય હોમ, દેવ પ્રબોધન, પ્રસાદ નયનમ તેમજ બપોરે 3-00 ક્લાક થી સાંજે 6-00 કલાક સુધી દેવ સ્થિતિકરણ, સ્થાપત્ય દેવહોમ, દેવતાઓના બલિદાન કાર્યક્રમ રાખવામાં આવેલ છે.સાંજે ભકિત સંગીતનો કાર્યક્રમ તથા મહાપ્રસાદ યોજાશે.
♦નટેશ્વર ધામ મહોત્સવમાં સંતો-મહંતો,રાજકીય તથા સામાજીક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ
રાજકોટ,તા.3
આ ભવ્ય અને દિવ્ય મહોત્સવમાં મુખ્ય મહેમાન સર્વશ્રી શ્રીમતી નયનાબેન પેઢડિયા, પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ સભ્ય રામભાઈ મોકરિયા, પરસોતમભાઈ રૂપાલા, કેબિનેટ મંત્રશ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર નિલેશભાઈ જલુ, કેતનભાઈ પટેલ, વિનુભાઈ ધવા, શહેર પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, પૂર્વ ચેરમેન શિક્ષણ સમિતિ ના કિરીટભાઈ પાઠક, માજી તાલુકા પંચાયત સભ્ય હસમુખભાઈ અજાણી, રાજવી પરિવાર માંધાતાસિંહ મનોહરસિંહ જાડેજા, આપાગીગાનો ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ, આર.એસ.એસ. સૌરાષ્ટ્ર પ્રાંત અગ્રણી નરેન્દ્રભાઈ દવે, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શાંતુભાઈ રૂપારેલીયા, ધર્મ રક્ષદ પરિષદના ગૌતમભાઈ ગોસ્વામી, બાબરા મેલડી માતાજી સેવક રાજુભાઇ જેઠવા, રોહિતભાઈ પરમાર, બોલબાલા ટ્રસ્ટના સ્થાપક જયેશભાઇ ઉપાધ્યાય, ચમત્કારી હનુમાનજી મંદિરના કાર્યકારી પ્રમુખ ગિરિરાજસિંહ બળવંતસિંહ રાઠોડ, પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ભગત, શિવલાલભાઈ બારસીયા,હિતેશભાઈ રાઠોડ, વસંતભાઈ ડાંગર, હિતેશભાઈ ડાંગર, જીતુભાઇ પીઠડીયા, રામજીભાઈ ગજેરા, રીંકલભાઈ પાનસૂરિયા, કીશોરભાઈ ખભાયતા, દિનેશભાઇ મોલિયા, મનસુખભાઇ પટેલ સહિત સૌરાષ્ટ્ર ના રાજકીય સામાજિક અગ્રણીઓ, સાધુ સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહેશે.
નટેશ્વરધામ મહોત્સવ સમિતિના કમિટી મેમ્બર્સ સર્વશ્રી વીરભદ્રસિંહ જાડેજા, દિવ્યેશભાઈ અગ્રાવત, ચેતનભાઇ સોલંકી, સંદીપભાઈ પટેલ, સાગરભાઇ રાઠોડ, રવિભાઈ રાઠોડ, ગોવિંદપરી ગોસ્વામી,દિનેશભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ધોરેચા, દિપકભાઈ રાઠોડ, હર્ષિતભાઈ રાઠોડ, પ્રવીણભાઈ પેન્ટર, સુરેશભાઈ ડોડીયા, રવિરાજસિંહ જાડેજા, રતિલાલભાઈ મહેતા, દિલીપભાઈ જોશી, ધનરાજસિંહ જાડેજા, રશ્મિનભાઈ કાચા, રાજુભાઈ કાચા, ઘનશ્યામસિંહ ચૌહાણ, એડવોકેટ અંકિતભાઈ ભટ્ટ, વિકીભાઈ, જીગાભાઈ, રણજીતસિંહ સરવૈયા, હિતેન્દ્રભાઈ સાપરિયા, દેવેન્દ્રભાઈ જાજલ, નિલયભાઈ તાલપરા ભરતસિંહ જાડેજા, હિમાંશુભાઈ અનંત, નટવરસિંહ સરવૈયા, મિલનભાઈ સોલંકી, જયરાજસિંહ જાડેજા, દિલીપભાઈ સોલંકી સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.