રંગીલા રાજકોટમાં માં જગદંબાની આરાધના સમાન નવરાત્રી પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં 30થી અર્વાચીન રાસોત્સવમાં દરરોજ લાખો ખેલેયાઓ મન મૂકીને ઝુમી ઉઠ્યા હતા બેસ્ટ પર્ફોર્મન્સ કરનાર કિંગ, કવિનને અંતિમ દિવસે લાખેણા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સાથોસાથ અનેક વિસ્તારોમાં પ્રાચીન ગરબીનું પણ આયોજન થયું હોય જેમાં નાની નાની બાળાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી આમ નવરાત્રી પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.