34.9 C
Ahmedabad
Tuesday, June 10, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં જનરલ બોર્ડની બેઠકમાં ગંદકી-રોગચાળોની ચર્ચા નહીં, આંગણવાડીના વખાણમાં કલાક કાઢી નાખી


આજે સવારે 11 વાગ્યે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડ શરૂ થયું હતું. ભાજપના કોર્પોરેટર વર્ષાબેન પાંધીએ આંગણવાડીની સંખ્યા, વોર્ડવાઇઝ બાળકો સહિતની વિગતો પૂછી હતી. તેમણે સૌ પહેલા પૂરા તંત્રને નવા વર્ષની શુભકામના પાઠવી જય જલારામ કહ્યા હતા. જેના જવાબ આજે કમિશ્નર વતી ડે.કમિશ્નર અનિલ ધામેલીયાએ આપ્યા હતા. તેઓએ કહ્યું હતું કે 364 પૈકી 65 આંગણવાડી ભાડાના બિલ્ડીંગમાં બેસે છે અને કુલ 5820 બાળકો તેનો લાભ લે છે. આ સાથે જ કોર્પોરેટરોએ પેટા પ્રશ્નોનો ચાલુ કરતા અધિકારીઓ વધુ ભીંસમાં આવ્યા હતા. કેતન પટેલે આંગણવાડીઓમાં અભ્યાસક્રમ અને પાણી માટેના આર.ઓ. પ્લાન્ટની વિગત પૂછી હતી. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આર.ઓ. પ્લાન્ટની કોઇ કાર્યવાહી થતી ન હોવાનો જવાબ મળ્યો હતો અને ગ્રાન્ટ જેવા હિસાબ સી.ડી.પી.ઓ.એ રજૂ કર્યા હતા. વિનુભાઇ ઘવાએ જર્જરીત આંગણવાડીની હાલત અને રીપેરીંગના આયોજનની માહિતી પૂછી હતી. ચેતન સુરેજાએ પાણીના ટાંકા સાફ કરવા અંગે જવાબદારી પૂછી હતી.આ સાથે જ મનપાની આજની સામાન્ય સભામાં 23 પૈકી 22 દરખાસ્ત સર્વાનુમતે અને કાલાવડ રોડના જમીન માલિકોને છુટછાટ સાથે જમીન વિકલ્પની દરખાસ્ત કોંગ્રેસના વિરોધ વચ્ચે મંજૂર થઇ હતી. એજન્ડા પર જુદી જુદી શાખામાં ભરતી અને બઢતીના નિયમો સુધારવા, સેટઅપ રીવાઇઝ કરવા, ડે.કમિશ્નરની નવી જગ્યા ઉભી કરવા,વોર્ડ ઓફિસરની ભરતીના નિયમ સુધારવા, આસી.મેનેજરની નવી જગ્યા ઉભી કરવા, અમુક જગ્યા રદ કરી નવી ઉપસ્થિત કરવા, આસી. કમિશ્નરને બઢતી અને ભરતીના નિયમો, મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કરવા કમીટી બનાવવા, ઢોર ત્રાસ નિયંત્રણ બીલ, વોર્ડ નં.2માં ટીપીના બસ ટર્મિનલના હેતુનો પ્લોટ વેંચાણ હેતુમાં વેરીડ કરવા, જુદા જુદા નામકરણની દરખાસ્ત મંજૂર કરાઇ હતી. અરવિંદભાઇ મણિયાર પુસ્તકાલયમાં સભ્ય તરીકે વર્ષાબેન રાણપરાની નિમણુંક કરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -