29.9 C
Ahmedabad
Tuesday, June 17, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં કાલે ગોકુળીયુ ધામ રાસોત્સવ દ્વારા ધમાકેદાર રાસ-ગરબાનું આયોજન; પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે


માઁ આદ્યશકિતના નવલા નોરતા પૂર્ણ થઈ ગયેલ છે. ત્યારે શરદ પૂનમ પહેલા રાજકોટમાં ગોકુળીયુ ધામ રાસોત્સવનું આવતીકાલે તા.26ને ગુરૂવારના રોજ સાંજે 7 કલાકે વેલ્વેટ પાર્ટી પ્લોટ સિર્નજી હોસ્પિટલની સામે, અયોધ્યા ચોક રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓ પારિવારીક માહોલ વચ્ચે ગરબે ધૂમી શકશે.આ ગોકુળીયું ધામ રાસોત્સવ ધવલ ગોંડલીયા ભૂપેન્દ્ર પાટીલ અને અમિત વાકાણી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિતીન ભારદ્વાજ ડો.ભરત બોઘરા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો.દર્શીતાબેન શાહ ઉદયભાઈ કાનગડ, મંત્રી ભાનુબેન બાબરીયા ગોરધનભાઈ ધામેલીયા, ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.જયમીન ઠાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે સિટી ન્યૂજ ની મુલાકાતે ગોકુળીયું ધામ રાસોત્સવના ધવલ ગોંડલીયા ભૂપેન્દ્ર પાટીલ, અમિત વાકાણી, જીગર ગોંડલીયા, રવી ગોસ્વામી કાન આહીર હર્ષ ગોંડલીયા રાજ ચૌહાણ આકાશ પાટીલ અને વીડી પાટીલ આવ્યા હતાં.

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -