રાજકોટ સહિત સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં 400 કરતા વધુ થેલેસેમિયાથી પીડિત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જો કે, છેલ્લા કેટલાક મહિનાઓથી સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા માટેના ડેસ્પરાલ (ડેસફ્રોક્સીમાઇન) ઇન્જેક્શનનો અભાવ હોવાનું સામે આવ્યું છે. સાથે જ થેલેસેમિયા માટેના સ્પેશિયાલિસ્ટ હિમેટોલોજીસ્ટ ડોક્ટર પણ સિવિલમાં નહીં હોવાથી પીડિતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને થેલેસેમિયા પીડિતોએ આ ઇન્જેક્શનની અછત દૂર કરી ડોક્ટરની ભરતી કરવા માગ ઉઠાવી છે. થેલેસેમિયાની સારવાર લેતા યુવાને કહ્યું હતું કે, હું છેલ્લા 22 વર્ષ કરતા વધુ સમયથી શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઉં છું. હાલ મોટી તકલીફ છે કે, સિવિલ હોસ્પિટલમાં રક્તનાં નિષ્ણાંત હિમેટોલોજીસ્ટ ડોક્ટર નથી. જેને લઈને કઈ દવા કેટલા પ્રમાણમાં લેવી સહિતનું યોગ્ય માર્ગદર્શન મળતું નથી. આ ઉપરાંત એક ડેસ્પરાલ ઇન્જેક્શન આવે છે, જેની છેલ્લા મહિનાઓથી અછત છે. ઇન્જેક્શન નહીં લેવાથી અમારા બોડીમાંથી આયર્ન એટલે કે ફેરેટીન રિલીઝ થાય છે. જેને કારણે હાર્ટ અને લીવરનાં રોગો થતા મોત થવાની સંભાવના હોય છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હિમેટોલોજીસ્ટ ડોક્ટરના અભાવે થેલેસિમિયા પીડિત દર્દીઓ પરેશાન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -