રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ માં પાણીની વાલ્વમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે. રહીશોના મતે છેલ્લા ધણા સમયથી પાણીની લાઇનના વાલ્વમાંથી પાણી લીકેજ થઇ રહ્યું છે. મ્યુનસિપલ તંત્રને જાણ કરવા છતાંય કોઇ મરામત માટે આવ્યું નથી. તેમજ મ્યુનસિપલ.તંત્ર દ્વારા જુની પાણીની લાઇનો કે જે ખવાઇ ગઇ છે તેને બદલવાની તસ્દી લેવાતી નથી. મોટાભાગના વિસ્તારમાં ધણા સમયની પાણીની વાલ્વ લાઇનો છે. તે જુની થઇ ગઇ હોવાથી હયાત પાણીના પ્રેસરને સહન કરી શકતી ન હોવાથી ફુલ ફોર્સમાં આવતા પાણીના કારણે લાઇનો તૂટી રહી છે. તેમજ પાણીની લાઇનો તૂટતા માટી અને ગટર લાઇનનું પાણી પણ તેમાં ભળતા આજુબાજુના વિસ્તારોમાં દુષિત પાણી આવવાની સમસ્યા સર્જાય છે. આ સ્થિતિ વચ્ચે લોકોને શુદ્ધ પાણી ન મળતા તેઓએ દુષિત પાણી પીવું પડે છે અને આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફેલાય છે. આ સાથે આજુબાજુ સહિતના વિસ્તારોમાં છાસવારે પાણીની લાઇનો લીકેજ થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે મ્યુનસિપલ તંત્રે લીકેજની સમસ્યા ઘટાડવા તરફ ધ્યાન આપવું જોઇએ તેવી લોકોની માંગ ઉઠી છે. તેમજ આ વાલ્વ લીકેજને તાત્કાલીક ધોરણે રીપેરીગ કરીને વેડફાતુ આ પાણી રોકે તેવી લોક માંગ ઉઠી છે.