40.9 C
Ahmedabad
Saturday, June 7, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવા ધારાસભ્ય દર્શિતા શાહની માંગ


રાજકોટમાં દર વર્ષે રેસકોર્સ મેદાન ખાતે યોજાતા જન્માષ્ટમીના લોકમેળાના સ્થળને બદલવાની માંગણી રાજ્યસભાના ધારાસભ્ય દર્શિતા શાહ દ્વારા કરવામાં આવી છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, રેસકોર્સ મેદાનમાં લાખોની ભીડ ઉમટવાને કારણે મેળાનું યોગ્ય રીતે આયોજન થઈ શકતું નથી. આ ઉપરાંત, આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે, જે અંગે વિસ્તારવાસીઓની વર્ષો જૂની ફરિયાદો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને, ધારાસભ્ય દર્શિતા શાહ છેલ્લા એક વર્ષથી રાજકોટ જિલ્લાની સંકલન સમિતિમાં રજૂઆત કરી રહ્યા છે કે, લોકમેળાનું સ્થળ રેસકોર્સ મેદાનથી બદલીને અટલ સરોવર પાસે ખસેડવામાં આવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ પગલું લોકોની સુવિધા વધારવા અને ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે અત્યંત જરૂરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -