સિટી ન્યૂઝના દર્શકો માટે પ્રસ્તુત છે રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ ઈન્દિરાનગર મેઇન રોડ ઉપર 37 વર્ષથી નિર્મિત ભવનાથ મહાદેવ મંદિરના દર્શનની ઝાંખી દેવાધિદેવ મહાદેવની ભક્તિમાં સૌ લીન થઈ રહ્યા છે ત્યારે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો ભક્તિ સાથે અનેક સેવાકીય કાર્યો પણ કરી રહ્યા છે અંહી શ્રાવણ માસમાં મહાદેવને અનેકવિધ શણગાર સાથોસાથ દર્શને આવતા ભક્તો માટે ફરાળ રૂપી પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે શ્રાવણના દર સોમવારે ભક્તોને ફરાળી ભેળ, સુકીભાજી, ચેવડો-પેંડા સહિતની પ્રસાદી આપવામાં આવે છે દર સોમવારે એક હજાર જેટલા ભક્તોને પ્રસાદી આપવામાં આવે છે આ ઉપરાંત વર્ષ દરમિયાન મંદિરના સેવાભાવી યુવકો દ્વારા છેલ્લા 25 વર્ષથી સમૂહલગ્ન, બટુક ભોજન, ગરીબોને અનાજ વિતરણ, નોરતામાં બાળાઓને નાસ્તો સહિતના સેવાકીય કાર્યો મહાદેવના આશીર્વાદથી કરવામાં આવી રહ્યા છે.
રાજકોટના કોઠારીયા રોડ ઉપર ઇન્દિરા નગરમાં આવેલ 37 વર્ષ જૂન ભવનાથ મહાદેવ મંદિરના દર્શનની ઝાંખી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -