ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કથાકાર પૂજ્ય મોરારિબાપુનાં ધર્મપત્ની શ્રીમતી નર્મદાબેન મોરારિદાસ હરિયાણીનું ગઈ કાલે (૧૦ જૂન, ૨૦૨૫) મોડી રાત્રે ૧.૩૦ વાગ્યે ૭૫ વર્ષની વયે તલગાજરડા (જિ. ભાવનગર) સ્થિત તેમના નિવાસસ્થાને દેહાંત થયું છે. આ સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની ગમગીની છવાઈ ગઈ હતી, અને તલગાજરડા ગામ સંપૂર્ણપણે બંધ પાળીને શોક વ્યક્ત કર્યો હતો. નર્મદાબેન છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયત ધરાવતા હતા અને છેલ્લા બે દિવસથી તેમણે અન્નનો ત્યાગ કર્યો હતો. પૂજ્ય બાપુ અને નર્મદાબેનના લગ્ન વણોટ ગામે થયા હતા. આજે સવારે ૯ વાગ્યે તલગાજરડા ખાતે તેમના પાર્થિવદેહને સમાધિ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહીને અંતિમ દર્શન કર્યા હતા. પૂજ્ય નર્મદાબેનના નિધનથી સમસ્ત વૈષ્ણવ સમાજ અને મોરારિબાપુના અનુયાયીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબેનનું ૭૫ વર્ષની વયે નિધન: તલગાજરડા ખાતે અપાઈ સમાધિ
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -