બોટાદ ખાતે ઢાકણીયારોડ વિસ્તારમાં ગરીબ અને મજૂરીયાત વર્ગના માણસો રહે છે આ વિસ્તારમાં તુલસી નગર નામથી સોસાયટી આવેલ છે આ સોસાયટીમાં ગરીબ અને મહેનત મજૂરી કરવા વાળા માણસો રહે છે જેને ખૂબ મહેનત કરી અને મકાન બનાવેલ હતું આ મકાન વરસાદી પાણી ભરાવાના કારણે ધારાસાયી થયેલ છે સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી આ ગરીબ અને મજૂરીયાત વગઁના હોય જ્યારે મહેનત કરી માંડ મકાન ઊભું કરેલ હોય અને તે ધારાશાયી થયેલ છે અને હાલ આ પરિવારને ક્યાંય રહી શકે તેવી પરિસ્થિતિ નથી જેથી તેઓની માંગ છે કે સરકાર દ્વારા કોઈ સહાય કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
.લાલજી સોલંકી