24.6 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ગંગા સ્વરૂપમાં બહેનોને બિયારણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.


વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગંગાસ્વરૂપ બહેનો આવનારી ઋતુમાં વાવેતર કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સોયાબીન અને મગના બિયારણનું વિતરણ શરૂ કરાયું છે ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ગામ દીઠ 3 ગંગા સ્વરૂપમાં મહિલાઓને ચાર કિલો સોયાબીન અને ચાર કિલો મગ ના બિયારણનું વિતરણ કરાયું હતું ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ઉપસ્થિત મહિલાઓ અને ખેડૂત લાભાર્થીઓને જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરવી હવે જરૂરી બની ગઈ છે ખાતર અને જંતુનાશક દવાઓથી આપણે જમીન મૃતપાય બની રહી છે. જેથી દેશી ગાય ના છાણ થી પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે તો જ આપણી જમીન જીવંત બની રહેશે તેમ જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સહાયો વિશે માહિતી આપી હતી. અને વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ની કીટ નું ગંગા સ્વરૂપમાં બહેનોને વિતરણ કરાયું હતું.

રીપોર્ટ કિશોર ડબગર.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -