23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઇતિહાસમાં પ્રથમ વખત આજે સોમનાથ મહાદેવની ભવ્ય અને દિવ્ય પાલખીયાત્રા નીકળી હતી


પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઇતિહાસમાં પ્રથમ વખત આજે સોમનાથ મહાદેવની ભવ્ય અને દિવ્ય પાલખીયાત્રા નીકળી હતી શંખનાદ. ઢોલ શરણાઈ અને ડીજેના તાલ તો ખરા જ પરંતુ સાથે સોમપુરા બ્રહ્મ સમાજ ના યુવાનો વડીલો અને ભૂદેવો ના સમગ્ર યાત્રા દરમિયાન વેદ મંત્રોથી જાણે પ્રભાસ પાટણ સોમનાથ તીર્થને વેદ મંત્રોથી ગુંજતું કર્યું હતું. આજે ભગવાન સોમનાથનો સ્થાપના દિવસ હતો જેને 73 વર્ષ પૂર્ણ થયા છે આ દિવસે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ના વરદ હસ્તે ભગવાન સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા અને સ્થાપના કરાઈ હતી એ દિવસની યાદગીરી રૂપે આજે પ્રભાસ તીર્થનું ગૌરવ એવા સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા આ દિવ્ય શોભાયાત્રા નું ઐતિહાસિક પ્રથમ વખત સફળ આયોજન કરાયું હતું.

રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -